પ્રભાસ સ્ટારર ફિલ્મ બાહુબલીના બાહુબલી-2ના નિર્દેશક એસએસ રાજામૌલીને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમને અને પરિવારને સામાન્ય તાવ હતો. ત્યાર બાદ તેઓએ ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો. રાજામૌલીએ પોતે જ પોતાના ટ્વિટર પર ટ્વિટ કરીને આ વાતની જાણકારી ફેન્સને આપી છે. તેના આ ટ્વિટ પર લોકોએ ટ્વિટ કર્યું છે અને તેમના જલ્દી સાજા થવાની શુભકામનાઓ પણ પાઠવી છે.

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન બાદ વધુ એક દિગ્ગજ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ફિલ્મ બાહુબલી ડાયરેક્ટ કરનાર અને વિશ્વભરમાં પ્રખ્યાત એસએસ રાજામોલી અને તેના પરિવારના સભ્યોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. રાજામોલીએ ટ્વીટ કરી અને આ વાતની પુષ્ટિ કરી છે. તેણે લખ્યું છે કે થોડા દિવસ પહેલા તેમને તાવ જણાયો હતો. સુરક્ષાના ભાગરુપે તેમણે ટેસ્ટ કરાવ્યો અને તે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ હોમ આઈસોલેશનમાં રહી અને ડોક્ટરના જણાવ્યાનુસાર સારવાર લઈ રહ્યા છે. 

રાજામૌલીએ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે મને અને મારા પરિવારને છેલ્લા કેટલાક દિવસથી તાવ આવતો હતો. ધીમે ધીમે તે જાતે જ ઘટી ગયો પણ અમે કોરોના ટેસ્ટ કરાવ્યો. તેમાં જાણવા મળ્યું છે કે અમારામાં કોરોનાના સામાન્ય લક્ષણો છે. ડોક્ટરે અમને હોમ ક્વૉરન્ટાઈનની સલાહ આપી છે. અમે હોમ ક્વૉરન્ટાઈન થયા છે. અત્યારે અમારામાં કોઈ લક્ષણો અનુભવાઈ રહ્યા નથી. તેમ છતાં અમે પ્રિકોશન્સ અને ઈન્સ્ટ્રક્શન્સ ફોલો કરી રહ્યા છે.