વડોદરા. વડોદરા મહાનગરપાલિકાના છૂપા આશીર્વાદથી ઊભી થયેલ વિવાદાસ્પદ ઈમારત પ્રોજેકટ જનમહેલમાં સિટી બસસ્ટેન્ડના લોકાર્પણને હજુ ગણતરીના કલાકો પૂર્ણ થયા નથી ત્યાં જ આ બિલ્ડિંગના ભોંયરામાં પાણીની લાઈન તૂટી જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. શહેરના રેલવે સ્ટેશન સામે આવેલ આ મહત્વાકાંક્ષી ઈમારતના પ્રારંભે જ પ્રથમ ગ્રાહે મક્ષિકા જેવી સ્થિતિ સર્જાતાં વિવાદનું કેન્દ્ર બન્યું છે. આ ઈમારત ઊભી કરતાં પહેલાં પાલિકા, જિલ્લા પંચાયતના ભવનોમાં આવેલ અનેક ખાણીપીણીના વેપારીઓને બિલ્ડર્સ સાથેની સાંઠગાંઠ અને ગોઠવણને લઈને મોકાની જગ્યાએથી ધમધમતા વેપાર ઉદ્યોગો જમીનદોસ્ત કરી નાખીને રાતાપાણીએ રડાવનાર ભ્રષ્ટાચારી તંત્ર આને લઈને વધુ એકવાર વિવાદમાં આવી ગયું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments