વડોદરા. વડોદરા મહાનગરપાલિકાના છૂપા આશીર્વાદથી ઊભી થયેલ વિવાદાસ્પદ ઈમારત પ્રોજેકટ જનમહેલમાં સિટી બસસ્ટેન્ડના લોકાર્પણને હજુ ગણતરીના કલાકો પૂર્ણ થયા નથી ત્યાં જ આ બિલ્ડિંગના ભોંયરામાં પાણીની લાઈન તૂટી જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. શહેરના રેલવે સ્ટેશન સામે આવેલ આ મહત્વાકાંક્ષી ઈમારતના પ્રારંભે જ પ્રથમ ગ્રાહે મક્ષિકા જેવી સ્થિતિ સર્જાતાં વિવાદનું કેન્દ્ર બન્યું છે. આ ઈમારત ઊભી કરતાં પહેલાં પાલિકા, જિલ્લા પંચાયતના ભવનોમાં આવેલ અનેક ખાણીપીણીના વેપારીઓને બિલ્ડર્સ સાથેની સાંઠગાંઠ અને ગોઠવણને લઈને મોકાની જગ્યાએથી ધમધમતા વેપાર ઉદ્યોગો જમીનદોસ્ત કરી નાખીને રાતાપાણીએ રડાવનાર ભ્રષ્ટાચારી તંત્ર આને લઈને વધુ એકવાર વિવાદમાં આવી ગયું છે.