મુંબઈ-
એનસીપી ના પ્રમુખ શરદ પવારે કહ્યું કે, મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. આ વાસ્તવિકતા છે અને તેને સ્વીકારવી પડશે. તેમણે કહ્યું કે, પક્ષના તમામ નેતાઓ, ખાનગી સંસ્થા અને સંગઠનના અધિકારીઓ અને જનતાએ, સરકાર ને અને આરોગ્ય સેવામાં સહયોગ આપવો જોઈએ. ગુરુવારે ફેસબુક પરથી સંબોધન કરતાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન પવારે કહ્યું કે, રાજ્યના લોકોને સરકારની કડક માર્ગદર્શિકાથી મુશ્કેલી પડી રહી છે, પરંતુ આ બધું ફક્ત લોકોના જીવન માટે કરવામાં આવી રહ્યું છે. દરેક વ્યક્તિએ ધૈર્યથી કોરોના રોગચાળાનો સામનો કરવો જોઇએ.
તેમણે કહ્યું કે ગઈકાલે મહારાષ્ટ્રમાં 57 હજારથી વધુ ચેપગ્રસ્ત લોકો મળી આવ્યા છે. અગાઉ ગયા વર્ષે માત્ર એક જ દિવસમાં 24 હજાર સૌથી વધુ કોરોના ચેપ લાગ્યાં હતાં. આરોગ્ય તંત્ર સંપૂર્ણ રીતે સક્રિય છે અને રાજ્યમાં કોરોના ચેપને રોકવા માટે અસરકારક પગલાં લઈ રહ્યું છે. કોરોના સંકટમાં, કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રને તમામ સ્તરે મદદ કરી રહી છે. પવારે કહ્યું કે, બુધવારે તેમણે ખુદ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન ડો.હર્ષ વર્ધન સાથે વાત કરી. આરોગ્યમંત્રીએ મહારાષ્ટ્ર સરકારને તમામ સ્તરે મદદની ખાતરી આપી છે. એનસીપી પ્રમુખ પવારે કહ્યું કે, કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કડક નિયમો જારી કર્યા છે. જેના કારણે ખેડુતો, મજૂરો, વેપારી વર્ગ અને મજૂર વર્ગ મુશ્કેલી ભોગવી રહ્યો છે. જો રાજ્યના લોકો વાસ્તવિક પરિસ્થિતિ સમજે અને ધીરજથી આ કટોકટીનો સામનો કરે તો કોરોનાને ચોક્કસપણે પરાજિત કરી શકાય છે.
Loading ...