નેત્રંગ 

નેત્રંગના મોરીયાણાના સીમાડે નદી પાસે કચરાના ઢગમાં પીપીઇ કીટ જોવા મળતા ચકચાર મચી ગઇ હતી. વૈશ્વિક મહામારી કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશ-દુનિયામાં હાહાકાર મચી જવા પામ્યો છે,આરોગ્ય વિભાગના કમીૅઓ પીપીઇ કીટ પહેરીને નિદૉષ લોકો કોરોના વાયરસથી સંક્રમીત નહીં થાય તે માટે રાત-દિવસ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે,ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવું,ફરજીયાત મોઢાને માસ્કથી ઢાંકવા અને સેનીટાઇઝરનો ઉપયોગ કરવાના સુચનો અપાઇ રહ્યા છે. હજારો લોકો મોતના મુખમાં ધકેલાય ગયા છે,કોરોના વાયરસની વેક્સીન શોધવા માટે હજુ સફળતા મળી નથી.લોકો ભયભીત માહોલમાં જીવન ગુજારવા મજબુર બન્યા છે.

ભરૂચ જીલ્લાના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારી વચ્ચે જાહેરમાં પીપીઇ કીટ મળી આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે,જેમાં નેત્રંગ તાલુકાના મોરીયાણાના સીમાડે નદી પાસે આવેલ કચરાના ઢગમાં પીપીઇ કીટ જાહેરમાં જોવા મળતા સમગ્ર મોરીયાણા ગામના રહીશો કોરોના વાયરસથી સંક્રમણ થવાની દહેશત ફેલાઇ જવા પામી હતી,

આ બાબતે ઘટનાની જાણ નેત્રંગ આરોગ્ય વિભાગને થતાં મોરીયાણા ગામના રહીશો કોરોના વાયરસના સંક્રમિત નહીં થાય તે માટે તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી.જેમાં મોઢા ઉપર બાંધવાના માસ્ક,ગ્લોઝ, વહીવટનો કામગીરના તમામ કાગળો રદ્દી હાલતમાં અને તેની સાથે પીપીઇ કીટ નાખી હોવાનું બહાર આવ્યું હતું,આ બાબતે વધુ તપાસ કરીને મોરીયાણા ગામના આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વો સામે ફોજદારી ગુનો દાખલ થવાની માંગ ઉઠી છે.