વીરપુર : ગત રોજ વીરપુર ખાતે સ્વામીનારાયણ મંદિર સામે દીપડો આવી ઘૂસ્યો હોવાની અફવા વિરપુર માં ફેલાતા લોકોના ટોળે ટોળાં દીપડાને જાેવા માટે ઉમટી પડ્યા હતા. આ બાબતની જાણ વીરપુર ફોરેસ્ટ વિભાગ અને વીરપુર પોલીસ ને જાણ થતાં ની સાથે જ સમગ્ર કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સ્થળ પર તંત્ર દ્વારા સંપૂર્ણ ચકાસણી કરવામાં આવી હતી.તે સમયે પગલાંના નિશાન જાેવા મળતા એક્સપોર્ટ ટિમ બોલાવી પગલાંની સંપૂર્ણ ચકાસણી બાદ એક્સપોર્ટ ટીમ દ્વારા જાણવા મળ્યું કે આ પગલાં દીપડાના નહીં પરંતુ ઝરખ ના પગલાં હોવાનું બહાર આવ્યું હતું.તંત્ર દ્વારા વીરપુર નગરના રહેવાસીઓ ને આવી અફવાઓથી દૂર રહેવા તાકીદ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગામડાંમાં દીપડા ઘુસી જવાના બનાવો અવારનવાર બને છે તેથી સતર્ક રહેવું જરૂરી બન્યું છે.