ગાંધીનગર-

ગુજરાતમાં દિવાળી-નૂતન વર્ષની CM રૂપાણીએ શુભકામના પાઠવી હતી. CM રૂપાણીએ નાગરિકોને શુભકામના પાઠવતા જણાવ્યું હતુ કે, કોરોનાથી દૂર રહી દિવાળી ઉજવીએ. આ વર્ષે હારશે કોરોના જીતશે ગુજરાત. CM રૂપાણી રાજકોટમાં દિવાળી ઉજવશે. CM રૂપાણી આવતીકાલે રાજકોટમા દિવાળી ઉજવશે. CM રૂપાણી સવારે 10 વાગ્યે રાજકોટ પહોચશે. દિવાળી ઉજવણી બાદ રાત્રે 10 વાગ્યે ગાંધીનગર જશે. CM રુપાણી ચોપડા પૂજનમાં ભાગ લેશે. ગરેડિયા કુવારોડની પેઢી ખાતે ચોપડા પૂજનમાં ભાગ લેશે. રાજકોટમાં ભાજપના હોદેદારો અને કાર્યકરોને પણ મળશે દિવાળીના સપરમા દહાડાઓમાં CM રૂપાણીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.