ધનતેરસ કારતકની કૃષ્ણ ત્રયોદશીએ મનાવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ શુક્રવારે, 13 નવેમ્બરનાં રોજ છે. આ વખતે ધનતેરસમં સાંજનો સમય પૂજા માટે યોગ્ય માનવામાં આવે છે. પૂજાનો શુભ સમય સાંજે 5.28 મિનિટથી સાંજે 5.59 મિનિટનો છે. આ વર્ષે આ 30 મિનિટ ધનતેરસની પૂજા માટે શ્રેષ્ઠ સમય છે. આ સાથે તે દિવસે નીચે જણાવેલી પાંચમાંથી એકપણ વસ્તુની ખરીદી કરશો તો લક્ષ્મીમાની કૃપા તમારા પર વરસશે અને તમને ધનલાભ થશે. દિવાળીના 2 દિવસ પહેલાં ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. ધનતેરસના દિવસે ધનના દેવતા ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ખરીદી કરવી પણ ખૂબ જ શુભ ગણાય છે. આવો આપને જણાવીએ કે ધનતેરસના દિવસે કઈ કઈ ચીજોની ખરીદી કરવી શુભ ગણાય છે.
વાસણ - ધનતેરસના દિવસે વાસણની ખરીદી કરવી શુભ ગણાય છે. તે સમયે પીત્તળની ધાતુથી બનેલું વાસણ અવશ્ય ખરીદો. આ પાછળ માન્યતા છે કે જ્યારે ભગવાન ધનવંતરી પ્રકટ થયા, તો તેઓ એક પાત્રમાં અમૃત લઈને આવ્યા હતા. આ કારણે આ દિવસે વાસણની ખરીદી કરવી શુભ ગણાય છે.
કોડી - સમુદ્ર મંથન દરમિયાન જ્યારે લક્ષ્મીજી પ્રકટ થયા હતા, તો તેમની સાથે કોડી પણ આવી હતી. કોડી લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય હોય છે. ધનતેરસના દિવસે કોડીઓ ખરીદીને તમે કબાટમાં રાખી શકો છો. કોડી રાખવાથી ધનની હાનિ નથી થતી.
ચાંદી - ધનતેરસના દિવસે ચાંદીના વાસણ કે સિક્કા ખરીદી શકો છો. તેનાથી ઘરમાં યશ, કીર્તિ, એશ્વર્ય અને સંપદામાં વધારે થાય છે.
ધાણાં - ધનતેરસના દિવસે ધાણાં ખરીદવા શુભ મનાય છે. ધનતેરસના દિવસે ધાણાંના બીજ ખરીદીને દિવાળીના દિવસે ઉગાડો. આમ કરવાથી ધનનું નુક્સાન નથી થતું. સાથે જ આર્થિક સમસ્યાઓથી છૂટકારો મળે છે.
દિવાળી પૂજનનો સામાન - ધનતેરસના દિવસે જ દિવાળીના મહાપર્વની શરૂઆત થાય છે. દિવાળી સંબંધિત ખરીદી પણ આ જ દિવસે કરવામાં આવે છે. લક્ષ્મી-ગણેસની મૂર્તિ, પૂજાપો અને માટીના દીવા ધનતેરસના દિવસે જ કરીદી લેવા જોઈએ.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments