હરિદ્વાર-
આજે 11 માર્ચે મહાશિવરાત્રી છે. મધ્યરાત્રિથી હરિદ્વારના હર કી પૈડી ખાતે હર હર મહાદેવ અને જય ગંગા મૈયાના નાદ સાથે ભક્તોએ ગંગામાં અસ્થાની ડૂબકી લગાવી હતી. સાત વાગ્યા પછી હર કી પૈડી બ્રહ્મકુંડ ખાતે સામાન્ય ભક્તોનું સ્નાન બંધ કરાયું હતું અને આ વિસ્તાર અખાડાના સંતો મહંતોના સ્નાન માટે અનામત રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાતેય સંતોના અખાડા શાહી સ્નાન કરશે. જો કે, ઉત્તરાખંડ સરકારે કોવિડની માર્ગદર્શિકાઓને કારણે કુંભની અવધિ ચાર મહિનાથી ઘટાડીને માત્ર એક મહિના કરી દીધી છે, સરકારની સૂચના મુજબ, કુંભ હવે 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ચાલું રહેશે. જ્યોતિષીઓ કહે છે કે, મહાશિવરાત્રીના દિવસે શિવ યોગ, સિધ્ધિયોગ અને ધનિષ્ઠ નક્ષત્રના સંયોજનને કારણે તહેવારની મહત્વતામાં ખૂબ વધારો થયો છે. આ શુભ સંયોગો વચ્ચે મહાશિવરાત્રીની ઉપાસના અત્યંત કલ્યાણકારી માનવામાં આવે છે. મહાશિવરાત્રી પર 101 વર્ષ પછી આવી ઘટના બનવાની છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર, આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments