દિલ્હી-

સંરક્ષણ સોદામાં ભ્રષ્ટાચાર મામલે સમતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ જયા જેટલીને ટ્રાયલ કોર્ટે કરેલી ૪ વર્ષની સજાને દિલ્હી હાઈકોર્ટે સસ્પેન્ડ કરી દીદી છે. ૨૦૦૦-૨૦૦૧ના કેસમાં દિલ્હીની એક કોર્ટે ગુરુવારે જ જેટલી અને ૨ અન્ય લોકોને ૪ વર્ષની કેદની સજા કરી હતી. આ ચુકાદા સામે તેઓ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા હતા, જેણે સજાને સસ્પેન્ડ કરી દીધી. નિચલી કોર્ટે ત્રણે આરોપીઓેને આજે જ સરેન્ડર કરવા કહ્યું હતું, પરંતુ જયા જેટલીને હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે.

આ પહેલા ગુરુવારે વિશે, સીબીઆઈ જજ વીરેન્દ્ર ભટ્ટે જયા જેટલી, તેમના પૂર્વ પાર્ટી સહયોગી ગોપાલ પચેરવાલ, મેજર જનરલ (સેવાનિવૃત્ત) એસ પી મુરગઈને પણ ચાર-ચાર વર્ષની જેલની સજા સંભળાવી હતી. ત્રણેયને એક-એક લાખનો દંડ અને તેમને ગુરુવારે સાંજે ૫ વાગ્યા સુધીમાં સરેન્ડર કરવાનો નિર્દેશ આપ્યો હતો. નિચલી કોર્ટે ત્રણેયને હાથેથી ચલાવાતા 'થર્મલ ઈમેજર્સ'ની ખરીદીના મામલામાં ભ્રષ્ટાચાર અને ગુનાઈત ષડયંત્ર રચવાના દોષી માન્યા છે.