દિલ્હી-
પોતાનો નાનો-મોટો વેપાર ધરાવતા બિઝનેસમેનો માટે નિયત સમયમાં જીએસટી રીટર્ન ભરવું ફરજીયાત થઈ ગયું છે, પરંતુ સરકારે તેમાં રાહત આપી છે. કેન્દ્ર સરકારે જીએસટીના વાર્ષિક રિટર્ન ભરવાની મુદત વધારી છે. આ જોતાં હવે 2019-20નું વાર્ષિક રિટર્ન 31 માર્ચ સુધી ભરી શકાશે. યાદ રહે કે, સરકારે બીજી વખત આ રીતે મુદત વધારીને એકસટેન્શન આપ્યુ છે. નાણાંમંત્રાલય દ્વારા સોમવારે સતાવાર રીતે જાહેર કરાયું છે કે, પહેલા 28મી ફેબ્રુઆરી સુધીની મર્યાદા હતી, પરંતુ સેંકડો કરદાતાઓ જીએસટીઆર-9 તથા જીએસટીઆર-9સી રિટર્ન સમયસર ભરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હોવાનું સરકારના ધ્યાનમાં આવ્યું હતું અને ત્યારબાદ આ તારીખ લંબાવી દેવામાં આવી છે.
જીએસટીઆર-9 વાર્ષિક રિટર્ન છે, જે જીએસટી હેઠળ રજીસ્ટર્ડ કરદાતાઓએ વાર્ષિક ધોરણે ભરવાનું હોય છે. વેપારીઓ જે માલની લે-વેચ કરે તેની આવક-જાવકના આંકડા તેમાં દર્શાવવાના હોય છે. જીએસટીઆર-9સીનું ઓડીટ કરેલું સ્ટેટમેન્ટ અને જીએસટીઆર-9નું પુરક હોય છે.બજારના નિષ્ણાંતોએ કહ્યું હતું કે સરકારના આ કદમથી હજારો કરદાતાઓને તથા કરવેરા ધંધાદારીઓને પણ રાહત થાય તેમ છે. સરકાર સમક્ષ મુદત વધારો આપવા પ્રબળ માંગ હતી. બે કરોડ રૂપિયાથી અધિકનું ટર્નઓવર ધરાવતા કરદાતા માટે જીએસટીઆર 9 ફરજીયાત હોય છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments