જામનગર-

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ તાજેતરમાં જ જામનગરની મુલાકાતે આવ્યા હતાં. ત્યારે તેમણે સાંસદ પૂનમ માડમના નિવાસસ્થાને તેમની સાથે મુલાકાત કરી હતી. અહીં તેમણે સાંસદ સાથે રેલવેને લગતા મુદ્દાઓની વિશેષ માહિતી મેળવી હતી. પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા માટે સાંસદ પૂનમબેન માડમે મુદ્દાસર અને વિસ્તૃત બાબતોની ભલામણ કરી હતી. ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેલવે પ્રશ્રની પણ વાત કરવામાં આવી હતી. અહીં મહત્ત્વના રૂટ બાબતે નવી ટ્રેન બાબતોએ તેમ જ મહત્ત્વના સ્ટોપ શરૂ કરવા તેમ જ ફરીથી આપવા બાબતે ભારપૂર્વક ભલામણ કરી હતી. આ દુરંતો એક્સપ્રેસ ટ્રેન શરૂ વર્ષ 2018ના મે મહિનાથી શરૂ થઈ ત્યારથી જ સાંસદ પૂનમ માડમે તે ટ્રેન જામનગર સુધી લંબાવવા રેલવે મંત્રાલયમાં તેમ જ રેલવે બોર્ડમાં ભલામણ સહ રજૂઆત કરી હતી. રેલવેના વિવિધ વધુ મુદાઓ 17 ડિસેમ્બરની વર્ચ્યૂઅલ મિટીંગમા પણ રજૂ કર્યા હતા. આ ભલામણના પગલે દુરંતો એક્સપ્રેસ ટ્રેનને રાજકોટના બદલે હવે હાપા સુધી લંબાવવાનો નિર્ણય રેલવે બોર્ડે કર્યો છે. આમ, સાંસદ પૂનમ માડમની મહેનતથી જામનગર પંથકથી મુંબઈ માટેની વધુ એક ટ્રેન મળી છે. હાલ કોવિડ-19ની સ્થિતિના કારણે આ ટ્રેન બંધ છે, પરંતુ શરૂ થયે હાપા સુધી લંબાવવાનો નિર્ણય થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, પોરબંદરથી રાજકોટ વાયા વાંસજાળિયા જેતલસર રૂટની ટ્રેન સવારે પોરબંદરથી ઉપડે તે માટે તથા પોરબંદર હરિદ્વાર વાયા જેતલસર નવી ટ્રેનની પણ પૂનમબેન માડમે રજૂઆત કરી છે.