વડોદરા, તા.૧૮ 

એમ.એસ.યુનિ.માં ચાલુ વરસે એફવાય બીકોમની પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને ખોટી રીતે હાયર પેમેન્ટ પર એડમિશન આપવામાં આવ્યું છે ત્યારે આ અંગે યોગ્ય બિલ્ડિંગમાં પ્રવેશ આપી ન્યાય નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી એન.એસ.યુ.આઈ.એ. આપી છે. યુનિ. રજિસ્ટ્રારને આપેલાઆવેદનપત્રમાં જણાવ્યું છે કે, ચાલુ વર્ષના એફવાયબીકોમના વિદ્યાર્થીઓ સાથે યુનિ. દ્વારા પ્રવેશ પ્રક્રિયામાં અન્યાય કરવામાં આવ્યો છે જેમાં યુનિ. દ્વારા એસટી, એસસી, એસઈબીસી તેમજ ઈએસડબ્લ્યુના વિદ્યાર્થીઓને ખોટી રીતે હાયર પેમેન્ટમાં એડમિશન આપવામાં આવ્યું છે જેના કારણે વિદ્યાર્થીઓને વધારે ફી ભરવી પડી રહી છે. વિદ્યાર્થીઓને હાયર પેમેન્ટમાં એડમિશન આપવામાં આવ્યું છે તે બધા વિદ્યાર્થીઓને મેન બિલ્ડિંગ કે ગર્લ્સ બિલ્ડિંગમાં એડમિશન આપવામાં આવે. યુનિ. દ્વારા જે ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે ટ્રાન્સફર માટે તેની માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેવી સુવિધા કરવામાં આવે. યુનિ. દ્વારા વિદ્યાર્થીઓ સાથે છેલ્લા કેટલાક સમયથી અન્યાય કરવામાં આવી રહ્યો છે તેવી રજૂઆત

કરી હતી.