ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને શનિવારે સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સ્થિતિની સમીક્ષા સાથે કોરોના પછી દર્દીઓમાં મ્યુકોમાયરોસીસના વધી રહેલા વ્યાપ અંગે પણ સર્વગ્રાહી સમીક્ષાકરીને ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ તેમજ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર અને એમ.કે. દાસ, આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિ સહિતના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જાેડાયા હતા. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને આ રોગના નિયંત્રણ અને સારવાર માટે સંપૂર્ણ તકેદારી અને સજજતાથી સારવાર અને વ્યવસ્થાઓને તાકીદે ઊભી કરવા માટે સૂચનાઓ આપી હતી. સમગ્ર રાજ્યમાં એક તરફ કોરોનાની મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે બીજી તરફ રાજ્યમાં વધતા જતા મ્યુકોમાયરોસીસના રોગના નિયંત્રણ તેમજ આ રોગથી સંક્રમિત થનારા દર્દીઓની સારવાર માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ ર્નિણયો લેવાયા છે. મુખ્યમંત્રી દ્વારા કરાયેલા આ ર્નિણયો અનુસાર રાજ્યમાં મ્યુકોમાયરોસીસ રોગને વધુ ફેલાતો અટકાવવા અને જેમને આ રોગની અસર થઈ છે તેમને ત્વરિત સારવાર આપવાની વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા તમામ સિવિલ હોસ્પિટલોમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડસ શરૂ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના અને માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા મ્યુકોમાયરોસિસની સારવાર માટે રૂ. ૩ કરોડ ૧૨ લાખના ખર્ચે એમ્ફોટિસીરીન મ્ ૫૦ સ્ખ્તના ૫૦૦૦ ઇન્જેકશન ખરીદવા માટેનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં મ્યુકોમાયરોસીસના આવા ૧૦૦થી વધુ જેટલા કેસો નોંધાયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોમાયરોસિસના સંક્રમિતોની સારવાર માટે ૬૦-૬૦ બેડ સાથેના બે અલાયદા વોર્ડ શરૂ કરાયા છે અને ૧૯ જેટલા દર્દીઓને ત્યાં સારવાર અપાય રહી છે. મુખ્યમંત્રી રૂપાણીએ આ રોગનો વ્યાપ વધે નહિ તે માટે આરોગ્ય તંત્રને શહેરી અને જિલ્લા સ્તરે વિશેષ કાળજી લેવામાં આવે તેવી તાકીદ પણ કરી હતી. જવલ્લે જ જાેવા મળતો આ મ્યુકરમાઈકોસિસ ફુગથી થતો ગંભીર રોગ છે. મ્યુકરમાઈકોસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જાેવા મળે છે, ખાસ કરીને માટીમાં વધુ જાેવા મળે છે. આ મ્યુકરમાઈકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિના શરિરમાં પ્રવેશેલી મ્યુકરમાઈકોસિસની ફૂગ તેના શરીર ઉપર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે. હાઇરિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકરમાઈકોસિસ રોગ થવાની સંભાવના વધુ છે. મ્યુકરમાકોસિસ ફૂગ શરીરના કયા ભાગમાં પ્રસરી રહી છે તેના પર આ રોગના લક્ષણો ર્નિભર છે. આ રોગના લક્ષણોમાં મુખ્યત્વે એક બાજુનો ચહેરો સોજી જવો, માથાનો દુખાવો,.નાક બંધ થવું કે સાઇનસની તકલીફ, મોઢામાં, તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો અને તેમાં વધારો થવો, આંખમાં દુખાવો, દ્રષ્ટિ ઓછી થવી, તાવ,કફ, છાતીમાં દુખાવો, શ્વાસ રૂંધાવો, પેટનો દુખાવો, ઉબકા આવવા કે ઉલટી થવી આંતરડામાં રક્તસ્ત્રાવ થવો જેવા લક્ષણો જાેવા મળે છે. મ્યુકરમાઈકોસિસથી બચવા દ્ગ-૯૫ માસ્ક પહેરવું, વધુ પડતી ધૂળ સાથેનો સંસર્ગ ટાળવો, ત્વચા પર લાગેલો ઘા તરત જ સાબુ-પાણીથી સાફ કરવો જરૂરી છે. મ્યુકરમાઈકોસિસના ઉપચાર માટે ફૂગ, પ્રતિરોધક દવાઓ જેવી કે એમ્ફોટેરિસિન-બી, પોસાકોનાઝોલ કે ઇસાવ્યુકોનાઝોલ ઉપયોગી છે. મ્યુકરમાઈકોસિસની સારવાર માટે શરીરના ફૂગ-સંક્રમિત સ્નાયુ-કોષને સર્જરીથી દૂર કરવા પડે છે.