દિલ્હી-
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાના ટ્વીટર એકાઉન્ટ બ્લોક કરવા અંગે નિવેદન આપ્યું છે. રાહુલે કહ્યું કે મારુ એકાઉન્ટ કરવાથી મારા લાખો ફ્લોઅર્સનુ અપમાન થયું છે. તેમણે કહ્યું કે દેશમાં લોકતંત્ર ખતરામાં છે. આ મોટા નામ સિવાય પૂર્વ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ અને મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવના ટ્વીટર એકાઉન્ટ પણ બ્લોક કરવામાં આવ્યું છે. કોંગ્રેસના મુજબ 5000થી વધુ નેતાઓના એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. કોંગ્રેસે કહ્યું કે પાર્ટીના એક વરિષ્ઠ સાંસદ ટ્વીટર સાથે આ મૃદ્દે વાત કરી રહ્યા છે અને કેસને જલ્દી ઠાળે પાડવાની માગ કરી રહ્યા છે. કોંગ્રેસે ટ્વીટરને પત્ર લખ્યો છે કે આ વિવાદને જલ્દી પૂરો કરવામાં આવે. કોંગેસે કહ્યું કે ટ્વીટર એકાઉન્ટ બંધ કરતા પહેલા તબક્કાવાર કાર્યવાહી કરવી જોઈએ. ટ્વીટરે પહેલા ચેતાવણી આપવી જોઈએ તે બાદ કોઈ પગલા ભરવા જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે ટ્વીટર આપણી લોકતાંત્રિક પ્રણાલીમાં હસ્તક્ષેપ કરે છે. તેમણે કહ્યું કે એક કંપની આપણી રાજનૈતિકને પરિભાષિત કરવા માટે વેપાર કરી રહી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે મારા 2 કરોડ ફ્લોઅર્સ છે, તેમને બ્લોક કરવા એટલે કે તેમની વિચારધારાની બ્લોક કરવા જેવું છે.
Loading ...