રાજકોટ-

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગોંડલમાં ભાજપ અને આમ આદમી પાર્ટીમાં ગાબડા પડી રહ્યા છે. ગોંડલ તાલુકાના શિવરાજગઢ - માંડણકુંડલા રોડ પર હનુમાન મંદિર ખાતે કોંગ્રેસનો ખેડૂત સમારોહ યોજાયો હતો. જેમાં ભાજપના ગોંડલ નગરપાલિકાના પૂર્વ સદસ્ય જયસુખ વઘાસીયા, ગોંડલ તાલુકાના બાંદરા ગામના પૂર્વ સરપંચ રાજુ રૈયાણી, ગોંડલ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ પંકજ ડોબરીયા અને ઉપપ્રમુખ જય નાદપરા સહિતના લોકો અને આગેવાનો સહિતના અંદાજે 200 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા.કોંગ્રેસમાં જોડાયેલા આગેવાનો, કાર્યકર્તાઓને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા, અર્જુનભાઈ ખાટરીયા, યતીશ દેસાઈ, હરદેવસિંહ જાડેજા, લલિત પટોળીયા સહિતના આગેવાનોએ કોંગ્રેસનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા.