વીરપુર, વીરપુર થી બાલાસિનોર જતા રતનકુવા પાસે જાહેર રસ્તા ની બાજુમાં વીરપુર પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઇન લીકેજ ના કારણે છેલ્લા એક મહિના થી ખોદકામ કરવામાં આવેલું છે પરંતુ પાણી પુરવઠા વિભાગ દ્વારા કાચબા ગતિએ કામ કરવાના કારણે અનેક વાર આ ખોદકામ ને કારણે અવાર નવાર અકસ્માત સર્જાય રહ્યા છે તેમ છતાં વિરપુર પાણી પુરવઠા ના કર્મચારીઓ ની આળસ જતી નથી.સુ તંત્ર દ્વારા રાહ જોવાઇ રહી છે કે કોઈ વ્યક્તિ નો ગંભીર અકસ્માત થાય ત્યારબાદ તંત્ર પોતાની કામગીરી પૂર્ણ કરશે..રાત્રીના સમયે માં આ ખોદકામ વાહનચાલકો માટે અડચણ રૂપ બને છે અને આગામી સમય માં આ ખોદકામ ને કારણે કોઈ ગંભીર અકસ્માત થાય તો નવાઈ નહિ.છેલ્લા કેટલાય સમય થી આ ખોદકામ કરવામાં આવેલ છે પરંતુ કાચબા ગતિ દ્વારા કામ કરવામાં આવે છે.