છોટાઉદેપુર, તા.૧૯
છોટાઉદેપુરના સમગ્ર પંથકમાં દર વર્ષે દશામાં પર્વની ઉજવણી ખુબજ ધામધૂમ થી કરવામાં આવે છે. ચાલુ સાલે કોરોના જેવી મહામારીના કારણે પ્રજાનો ઉત્સાહ થોડોક મોળો જણાઈ રહ્યો છે.
દશામાની મૂર્તિ લેવા નજીકના ગામડાઓમાંથી ટોળેટોળા આવતા હતા પરંતુ ચાલુ સાલે પ્રજાએ આ મહાપર્વની સાદાઈ થી જ ઉજવણી કરવાનું મન બનાવી લીધું હોવાનું જણાઈ રહ્યું છે. દર વર્ષે સ્થાપના માટે મોટી મોટી પ્રતિમાઓ લઇ જવાતી હતી પરંતુ કોરોના ના ગ્રહણ ના કારણે માત્ર ત્રણ ફૂટ સુધી ની જ પ્રતિમાઓ વેચાતી નજરે ચઢી રહી છે. કોરોના જેવી મહામારીના સમયે દશામાં પર્વની ઉજવણી પ્રજાએ પોતાના ઘરમાં જ સાદાઈ થી કરવાનું જાણે નક્કી કર્યું હોય તેમ લાગે છે. દર સાલ છોટાઉદેપુર નગરમાં ૧૦૦૦ થી વધુ દશામાં ની પ્રતિમાઓ વેચાય છે. પરંતુ મૂર્તિ વેંચતા વેપારીઓ જ ચાલુ સાલે ઓછી મૂર્તિ લાવ્યા હોય તેવું જણાઈ રહ્યું છે.
Loading ...