/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

વડોદરા અકસ્માતમાં માર્યા ગયેલા 5 લોકોની એકસાથે અંતિમયાત્રા નીકળી, ગામ હિબકે ચઢયું

અમદાવાદ-

પાવાગઢ દર્શને જતા સુરતના કેટલાક પરિવારોને વડોદરા પાસે અકસ્માત નડ્યો હતો. મોડી રાત્રે 3 વાગ્યે વાઘોડિયા ચોકડી પર આઈસર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સુરતના 11 લોકોના મોત નિપજ્યા હતા. આ તમામ લોકો મૂળ અમરેલી અને ભાવનગરના વિવિધ ગામના વતની છે, જેમના પરિવારો સુરતમાં સ્થાયી થયા હતા. ત્યારે અકસ્માત માં મૃત્યુ પામેલા લોકોને અંતિમ સંસ્કાર માટે વતન લઈ જવાયા હતા. મૃતકોને એમ્બ્યુલન્સથી વતનમાં લઈ જવાયા હતા. ત્યારે આજે રાજુલા તાલુકામાં પાંચ લોકોની અંતિમ યાત્રામાં આખુ ગામ હિબકે ચઢ્યું હતું. 

વડોદરા નજીક બનેલ ગઈકાલના અકસ્માતમા 11 ના મોત નિપજ્યા હતા. જેમાં રાજુલા તાલુકાના 5 લોકોના મોત નિપજ્યા છે. જેમાં ગોવિંદડી ગામના 3 લોકો અને ખાખબાઈ ગામના 2 લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે આ તમામ પાંચ લોકોની અંતિમ યાત્રા આજે સવારે નીકળી હતી. તેમની અંતમ યાત્રામા આખુ ગામ જોડાયું હતો. તો સાથે જ આસપાસના ગામના લોકો જોડાયા હતા. એકસાથે પાંચ લોકોની નીકળેલી અંતિમ યાત્રાથી સમગ્ર પંથકમા શોકમય વાતાવરણ જોવા મળ્યું હતું. આહીર સમાજના પાંચેય મૃતકોની એકસાથે અંતિમ વિધિ કરાઈ હતી. એકસાથે પાંચ લોકોના અંતિમ યાત્રાથી પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. 

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution