દિલ્હી-
કેન્દ્ર સરકારે મ્યુકરમાઈકોસિસની સારવારમાં સંજીવનીરૂપ ગણાતા એમ્ફોટેરેસિન-બી ઈન્જેક્શનની નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાથી સ્વસ્થ થનાર દર્દીઓમાં મ્યુકોરમાઈકોસિસ અર્થાત બ્લેક ફંગસના લક્ષણો વધુ સામે આવી રહ્યા છે. આવા દર્દીઓની સારવાર માટે એમ્ફોટેરેસિન-બી ઈન્જેક્શન જીવનરક્ષક સાબીત થયા છે.
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ એક જાહેરનામામાં જણાવ્યા મુજબ એમ્ફોટેરેસિન ઈન્જેક્શનની નિકાસને પ્રતિબંધિત શ્રેણીમાં મુકવામાં આવી છે. જેથી હવે તમામ નિકાસ લાયસન્સ ધારકોને આ ઈન્જેક્શનની નિકાસ પૂર્વે ડીજીએફટીની મંજૂરી મેળવવી પડશે. કોરોના પછી સ્વસ્થ થતા દર્દીઓમાં બ્લેક ફંગસની બીમારીના કેસો છેલ્લા એક મહિનાથી વધી રહ્યા છે. જેને પગલે એમ્ફોટેરેસિન-બી ઈન્જેક્શન પર સરકારે તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments