દિલ્હી-

કેન્દ્ર સરકારે મ્યુકરમાઈકોસિસની સારવારમાં સંજીવનીરૂપ ગણાતા એમ્ફોટેરેસિન-બી ઈન્જેક્શનની નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાથી સ્વસ્થ થનાર દર્દીઓમાં મ્યુકોરમાઈકોસિસ અર્થાત બ્લેક ફંગસના લક્ષણો વધુ સામે આવી રહ્યા છે. આવા દર્દીઓની સારવાર માટે એમ્ફોટેરેસિન-બી ઈન્જેક્શન જીવનરક્ષક સાબીત થયા છે.

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ એક જાહેરનામામાં જણાવ્યા મુજબ એમ્ફોટેરેસિન ઈન્જેક્શનની નિકાસને પ્રતિબંધિત શ્રેણીમાં મુકવામાં આવી છે. જેથી હવે તમામ નિકાસ લાયસન્સ ધારકોને આ ઈન્જેક્શનની નિકાસ પૂર્વે ડીજીએફટીની મંજૂરી મેળવવી પડશે. કોરોના પછી સ્વસ્થ થતા દર્દીઓમાં બ્લેક ફંગસની બીમારીના કેસો છેલ્લા એક મહિનાથી વધી રહ્યા છે. જેને પગલે એમ્ફોટેરેસિન-બી ઈન્જેક્શન પર સરકારે તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે.