નડિયાદ : ખેડા જિલ્લા ઠાસરા તાલુકાના બાધરપુરા પાસેથી પસાર થતી મહી કેનાલની મુખ્ય નહેરમાં મોટું ગાબડું પડી ગયું છે. થોડાં સમય પહેલાં જ નહેરની બંને બાજુ આરસીસી કોંક્રિટનું કામ કરવામાં આવ્યું હતું. થોડાં વરસાદમાં તેમાં ગાબડાં પડતાં ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચા ચાલી રહી છે.  ગાબડાં જાેવા મળતાં તાત્કાલિક નહેરનું પાણી બંધ કરવામાં આવ્યું હતું. મોટી હોનારત થતાં અટકી કઈ હતી. જ્યાં સુધી આ કામ કરવામાં નહીં આવે ત્યાં સુધી આસપાસના ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ તોળાઈ રહી છે.