નેપાળમાં હાઇડ્રોપાવર ટનલમાં ફસાયેલા ૮૯૮ કામદારોને બચાવવાની યુદ્ધના ધોરણે કામગીરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, ઓગ્સ્ટ 2026  |   3069

નેપાળમાં પૂરને પગલે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે બચાવ કામગીરી તીવ્ર બનાવવામાં આવી છે.આશરે ૮૯૮ કામદારો હજુ પણ ફસાયેલા છે, જ્યારે અત્યાર સુધીમાં ૩૬૧ લોકોને બચાવી લેવાયા છે.ત્રિશુલી-૩ ‘‘A હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં ચાલી રહેલા બચાવ કામગીરીમાં થોડી સફળતા મળી છે. ટનલમાં ખોદાયેલા ૬ ઇંચના છિદ્ર દ્વારા હવા પૂરી પાડવામાં આવી રહી છે.બચાવ ટીમો ટનલમાં પ્રવેશ કરી શકે અને બચી ગયેલા લોકોને શોધી શકે તે માટે તેને મેનહોલમાં વિસ્તૃત કરવાની તૈયારીઓ હવે ચાલી રહી છે.રવિવારે બચાવ ટીમો ટનલના મુખ્ય ભાગ સુધી પહોંચવામાં સફળ રહી. આશરે ૯૦ સભ્યોની સંયુક્ત ટીમ કામગીરીમાં રોકાયેલી છે. આમાં ૬૬ નેપાળી સેનાના કર્મચારીઓ, તાલીમ પામેલા કૂતરાઓ સાથેની એક નિષ્ણાત શોધ અને બચાવ ટીમ, ૧૮ સશસ્ત્ર પોલીસ દળના કર્મચારીઓ અને છ નેપાળ પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. રવિવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ, બચાવ ટીમ ટનલના ઉપરના ભાગ, ક્રાઉન હેડ” પર પહોંચી. ત્યાં  છિદ્ર બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બચાવકર્તાઓ દોરડાનો ઉપયોગ કરીને ટનલમાં ઉતર્યા અને અંદર રહેલા લોકોને બોલાવ્યા. જાેકે, કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution