ગાંધીનગર, કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવકતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહીલ જણાવ્યુ છે કે, કોરોનાના વેક્સિનેશનના દર ૧૦૦ વ્યક્તિએ ડોઝ આપવાની ટકાવારીમાં ભારત દુનિયાના દેશોમાં ૭૭માં ક્રમે એટલે કે બહુ જ છેવાડેના સ્થાને આવે છે, તે વાતનું અત્યંત દુઃખ છે.

શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યુ હતું કે, જે દેશો કોરોનાની વેક્સિનેશનના ડોઝ આપવામાં અગ્રેસર રહ્યા છે, ત્યાં કોરોના સંક્રમણની ચેન તૂટી છે, અને જીવન રક્ષણ સાથે નોર્મલ સ્થિતિ બની ગઈ છે. જ્યારે દુનિયાના ચાર દેશો સેશલ્સ, ઇઝરાયલ, યુ.એ.ઈ અને સાન મેરિનોએ ૧૦૦ વ્યક્તિની જનસંખ્યાએ ૧૦૦ ડોઝ આપવાના આંકને પાર કરેલ છે. જયારે યુકે અને અમેરિકાથી લઈને માલદીવ સુધીના અનેક એવા દેશો છે કે, જેઓએ ૧૦૦ની આબાદીએ ૮૦ વ્યક્તિઓને કોરોનાની રસીના ડોઝ આપેલ છે, એટલે કે રસીકરણની કામગીરી ૮૦% સુધી પહોંચેલી છે. જયારે અત્યંત કમનસીબી વાત એ છે કે, રસી બનાવવાની ક્ષમતામાં દુનિયાનાં અગ્રેસર દેશોમાં સ્થાન ધરાવતા આપણા ભારત દેશમાં ૧૦૦ વ્યક્તિએ પ્રથમ ડોઝ મળેલ હોય તેવા ૧૦ વ્યક્તિ એટલે કે ૧૦% નો જ રેશિયો છે, અને જેમને રસીના બન્ને ડોઝ મળેલ હોય તેવા લોકોની ટકાવારી માત્ર ૨.૭% જ છે એટલે ૧૦૦ની વસ્તી એ ૧ ડોઝ અને બન્ને ડોઝ મળેલા એ બન્નેનો સરવાળો કરીએ તો પણ ભારત દેશ ૧૩% ના આંકડાને પણ સ્પર્શી શકતો નથી. આ આંકડાઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીએ સરકારી આંકડાઓ આધારિત ર્ંેંઇઉર્ંઇન્ડ્ઢૈંદ્ગડ્ઢછ્‌છ.ર્ંઇય્ પરથી લીધેલા છે. આ સરકારી આંકડાઓ આધારિત ઑક્સફર્ડ યુનિવર્સીટીનો ડેટા ઈન્ટરનેટ ઉપર પણ ઉપલબ્ધ છે તેમ પણ ગોહિલે જણાવ્યુ હતું. ભારત દેશ પાસે રસી બનાવવાની પુરેપુરી ક્ષમતા છે અને ભૂતકાળમાં શીતળા હોય કે પોલિયો જેવા રોગો હોય તેની સામે દેશવાસીઓને રસી પહોંચાડવાનું સફળતાપૂર્વકનું કામ કરીને સમગ્ર દુનિયામાં ભારત દેશે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી.

આપણા દેશે ઉત્પાદન કરેલ રસી પ્રથમ આપણા નાગરિકોને આપવાને બદલે આ રસીના કરોડો ડોઝ બહારના દેશોને ભારત સરકારે આપી દીધા છે, જેના કારણે આજે આપણા દેશવાસીઓને રસીના ડોઝ માટે રઝળવું પડે છે. અમેરિકા જેવા સમૃદ્ધ દેશથી લઈને અનેક દેશો કે જેમણે કોરોનાની રસીનું ઉત્પાદન કર્યું હતું, તેમણે પ્રાથમિકતા પોતાના દેશના નાગરિકોને જ આપી હતી અને પરિણામે ત્યાં જાનહાનિ પણ ઓછી થઈ છે અને જીવન સામાન્ય ઝડપથી બન્યું છે. અમેરિકાએ તો પોતાને ત્યાં બનતા ડોઝ માટે સૂત્ર આપ્યું હતું કે, “અમેરિકન ફસ્ટ” એટલે કે રસી પહેલા અમેરિકાના લોકોને જ મળશે અને જ્યાં સુધી અમેરિકાના લોકોને આસાનીથી રસી ઉપલબ્ધ ન થઈ ત્યાં સુધી રસીના ડોઝને બહારના દેશોમાં મોકલવા માટે ત્યાંની સરકારે પ્રતિબંધિત કર્યા હતા. આ સંજાેગોમાં ભારત સરકારે કરેલી મોટી ભૂલના કારણે આપણા દેશે ઉત્પાદન કરેલા રસી પરદેશમાં આપી દીધા અને હવે બહારના દેશોમાંથી આપણે રસી આયાત કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું જણાવ્યુ હતું.