ભરૂચ, ભરૂચ જીલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. કોરોના પોઝિટીવની સંખ્યા તો વધી રહી છે તેવામાં મૃત્યુદરમાં પણ કોઈ ઘટાડો જાેવા મળતો નથી. આજે ભરૂચમાં બે વિશેષ મહિલાના કોરોનાથી મૃત્યુ થયા છે. ભરૂચ કોંગ્રેસનાં આગેવાન એવા નિખિલભાઈ શાહનાં પત્ની ભદ્રિશા શાહ છેલ્લા લાંબા સમયથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા. તેઓને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જયાં સારવાર બાદ આજે વહેલી સવારે તેઓ કોરોના સામેની જંગ હાર્યા હતા અને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.તેમજ ભરૂચ નગરપાલિકા વોર્ડ નં.૧૦ નાં કોંગ્રેસનાં કાઉન્સિલર અસમાબેન શેખ પણ ટૂંક સમય પહેલા જ કોરોનાથી સંક્રમિત થયા હતા, કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેઓ છેલ્લા ૧૨ દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને આજે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.