ભોપાલ-

મધ્ય પ્રદેશના મોરેના જિલ્લામાં સોમવારે મધરાતે ઝેરી શરાબ પીવાથી 11 જણાનાં મોત થયા છે. પાટનગરથી 20 કિમી દૂર આવેલા પાહવાલી ગામે 3 જણાનાં જ્યારે મનપુર ગામે 8 જણાનાં મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. જ્યારે ગ્વાલિયર ખાતે સાત જણાંને આ લઠ્ઠો પીવાથી ઝેરી અસર થયાને પગલે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 

રાજ્ય સરકારે આ બનાવની તપાસનો આદેશ આપ્યો છે. સોમવારે રાત્રે આ ઝેરી દારુ પીધા પછી લોકોની તબિયત બગડતાં તેઓ જૂદી જૂદી હોસ્પિટલોમાં સારવાર માટે ગયા હોવાથી સમગ્ર લઠ્ઠાકાંડ પોલીસની જાણમાં આવ્યું હતું.