રાજકોટ-

ધનવાન નબીરાઓ દ્વારા બેફામ કાર હંકારીને લોકોને મોતને ઘાટ ઉતાર્યા હોવાના બનાવોમાં વધુ એક બનાવ ઉમેરાયો છે. રાજકોટમાં આવા જ એક નબીરાએ બીએમડબલ્યુ ગાડીની અડફેટે બાઈકસવારને લઈ લેતાં તેનું પ્રાણપંખેરું ઊડી ગયું છે. 

આ ઘટનાની વિગતો એવી છે કે, કોર્પોરેશનમાં ફરજ બજાવતા અને થોરાળાના  રહેવાસી જયંતીભાઈ મંગળવારે મોડીરાત્રે જ્યારે પોતાના કામ પરથી પરત ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે રાજકોટના અમૂલ સર્કલ પાસે સામેથી પૂરપાટ આવી રહેલી એક બીએમડબલ્યુ કારે તેમને અડફેટે લીધા હતા. GJ-12-AX-7785 નંબરની આ ગાડીએ જયંતીભાઈને ટક્કર માર્યા બાદ તેમને ઘસડતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. 

ઘટનાની જાણ થતાં પોલીસે દોડી જઈને કારચાલક લક્કીરાજ ભગવાનજી અકવાલિયાની અટકાયત કરી હતી. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.