વડોદરા : શહેરના નાગરવાડા વિસ્તારમાં થોડાક સમય અગાઉ જ બ્રાહ્મણ યુવતીને મુસ્લીમ યુવકે પ્રેમજાળમાં ફસાવીને તેનું ધર્મપરિવર્તન કરાવવાના લવજેહાદના કિસ્સા બાદ નાગરવાડામાં જ વધુ એક લવજેહાદનો કિસ્સો સપાટી પર આવતા આ વિસ્તારના હિન્દુ રહીશોમાં ભારે ઉશ્કેરાટ ફેલાયો છે. ગુનાહીત ભુતકાળ ધરાવતા ફૈજલ નામના કટ્ટરવાદી યુવકે હિન્દુ યુવતીનો પીછો કરી તેને સતત એક વર્ષ સુધી હેરાન કરી હતી તેમજ પ્રેમસંબંધ નહી રાખે તો એસિડ એટેક તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. જાેકે યુવતીએ તેને મચક નહી આપતા ફૈજલે યુવતીને ધોળેદહાડે ગલીમાં આંતરીને બાથમાં ભરી કીસ કરી હતી અને તેની પાસે શરીર સંબંધની માગણી કરી હતી. આ બનાવની યુવતીએ આખરે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જ પોલીસ તુરંત એકશનમાં આવી ફૈઝલને ઝડપી પાડ્યો હતો.

નાગરવાડા વિસ્તારમાં રહેતી ક્ષત્રીય સમાજની ૨૨ વર્ષીય યુવતી રીના (નામ બદલ્યુ છે) માતા-પિતા અને મોટાભાઈ સાથે રહે છે અને ઘરે લેડીઝ ડ્રેસ સિવવાનું કામ કરે છે. ગત જાન્યુઆરી ૨૦૨૦થી તે ઘી કાંટા રોડ પર ટેલરની દુકાને ડ્રેસ સિવવા માટેનું કામ લેવા માટે અવરજવર કરતા ૨૧ વર્ષીય ફૈઝલ ઉર્ફ ફૈઝુ અયુબ ઘાંચી(કારેલીબાગમાં નવાબવાડામાં નિશાંત કોમ્પ્લેકેસની સામે)એ રીનાનો પીછો કરી તેમજ તેને પ્રેમજાળમાં ફસાવવા માટે હેરાનગતિ કરતો હતો. ફૈઝલ ગુનાહીત ઈતિહાસ ધરાવતો હોઈ અને તે પોતાના ઘરના સભ્યોને કોઈ નુકશાન કરશે તેવા ડરથી રીનાએ આ અંગેની તેના ઘરે કોઈને જાણ કરી નહોંતી.દોઢ માસ અગાઉ રીનાએ મોબાઈલ ફોન ખરીદતા જ ફૈઝલે તેનો નંબર મેળવ્યો હતો અને અવારનવાર તેને મોબાઈલ ફોન પર મેસેજ મોકલી અને વોટ્‌સઅપ કોલીંગ કરી ધમકી આપતો હતો કે તું મારી સાથે મિત્રતા નહી રાખે તો હું તારા પરિવારજને કોઈ પણ રીતે નુકશાન કરીશ અને તારા ઉપર એસિડ નાખી તને જાનથી મારી નાખીશ. ગત ૯મી જાન્યુઆરીએ બપોરે તે ટેલરની દુકાને જતી હતી તે વખતે ફૈઝલે ફરી તેનો પીછો કર્યો હતો અને ઘી કાંટારોડ પર મોહનલાલ ચા વાળાની દુકા પાસેની ગલીમાં તેણે રીનાને રોકી હતી અને કહ્યું હતું કે હું છેલ્લા એક વર્ષથી તારી પાછળ પડ્યો છું તું મને કેમ જવાબ આપતી નથી? તેમ પુછ્યા બાદ તેણે રીનાનો હાથ પકડીને ખેંચીને બળજબરીથી બાથમાં દબાવીને તેને કીસ કરી હતી અને ત્યારબાદ તું મારી સાથે લગ્ન કર તેમ કહી તેની પાસે શરીરસંબંધની માગણી કરી હતી અને શરીરસંબંધ નહી રાખે તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આજે પણ ફૈઝલે વોટ્‌સઅપ પર રીનાને જાનથી મારી નાખવાની તથા પોતે મરી જશે અને રીનાના પરિવારજનોને ફસાવી દેશે તેવી ધમકી આપતા રીનાએ તેના પિતા અને ભાઈને જાણ કરી હતી અને તેઓએ હિમ્મત આપતા આખરે તેણે ફૈઝલ વિરુધ્ધ કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની ગંભીરતા જાેતા જ કારેલીબાગ પોલીસ મથકના પીઆઈ આર એ જાડેજાએ ગુનો નોંધી ગણતરીના સમયમાં ફૈઝલને ઝડપી પાડ્યો હતો અને તેનો કોરોના ટેસ્ટની તજવીજ હાથ ધરી છે.

આપણે મુસ્લીમ વિસ્તારમાં રહીયે છે, ફૈઝલ શાંતિથી જીવવા નહી દે

કટ્ટરવાદી ફૈઝલ દ્વારા થઈ રહેલી હેરાનગતિ તેમજ એસિડ એટેકની ધમકી અંગે રીનાએ તેની માતાને જાણ કરી હતી પરંતું તેની માતાએ તેને એવુ કહ્યું હતું કે તુ આ વાત કોઈને કરીશન નહી અને તારા પપ્પાને પણ કશુ ના કહેતી. એક તો ફૈઝલ મુસ્લીમ છે અને આપણે મુસ્લીમ વિસ્તારમાં રહીયે છે અને ફૈઝલ આપણને શાંતિથી રહેવા દેશે નહી. માતાની વાત માની રીનાએ ચુપકિદી સેવતા જ ફૈઝલની હિમ્મત ખુલી હતી અને તેણે જાહેરમાં છેડતી કરી હતી.