દિલ્હી-
દેશમાં કોરોનામાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના વધતા જતા કેસો અને સંભવિત ત્રીજી લહેરના જોખમને ધ્યાનમાં રાખીને એઈમ્સના ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયા કહે છે કે આ સમયે જાહેર આરોગ્ય સંભાળ પ્રણાલીને વધુ મજબુત બનાવવાની જરૂર છે. વર્ચુઅલ પબ્લિક હેલ્થ સમિટને સંબોધતા તેમણે કહ્યું કે, બદલાતા સમયની સાથે ભારતે પણ તેની જાહેર આરોગ્ય પ્રણાલીમાં પરિવર્તન લાવવું પડશે.આ ક્ષણે આપણે કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને ડેલ્ટા પલ્સ વેરિએન્ટ માટે તૈયાર રહેવું પડશે. આરોગ્ય સંભાળ પ્રણાલીને કેવી રીતે મજબૂત બનાવી શકીએ તેના પર વધારે ધ્યાન આપવુ જોઈએ.
તેમણે કહ્યું, આ માત્ર આ મહામારી માટે જ જરૂરી નથી, પરંતુ છેલ્લા 15 વર્ષથી આપણે શીખવ્યું છે કે ભવિષ્યમાં આવનારી મહામારી અને મુશ્કેલીઓ માટે આપણે અગાઉથી તૈયાર રહેવું પડશે. સાર્વજનિક આરોગ્ય સંભાળ પ્રણાલીને મજબૂત કરવા માટે એક મોટું પગલું એ છે કે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રહેતા તમામ લોકોને આરોગ્ય સંબંધિત સુવિધાઓ સમાનરૂપે મળવી જોઈએ.
ક્યારે આવશે ત્રીજી લહેર?
ડો.રનદીપ ગુલેરિયાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરમાં કેન્દ્રના કોવિડ વર્કિંગ ગ્રુપના અધ્યક્ષ ડો.એન.કે.અરોરાએ કહ્યું હતું કે ત્રીજી લહેરમાં વિલંબ થવાની સંભાવના છે. આ વર્ષે ડિસેમ્બર સુધીમાં કોરોનાવાયરસની ત્રીજી લહેર આવી શકે છે. અરોરાએ કહ્યું કે આઈસીએમઆર અધ્યયનથી આ વાત બહાર આવી છે.
તેમણે કહ્યું, દેશમાં દરેકને રસી આપવા માટે અમારી પાસે 6 થી 8 મહિના છે. તેમણે એમ પણ કહ્યું કે, આગામી દિવસોમાં, સરકારનું લક્ષ્ય છે કે ભારતમાં દરરોજ એક કરોડ કોવિડ -19 રસી ડોઝ આપવાનું. કોવિડ -19 નું નવું વેરિએન્ટ ડેલ્ટા પ્લસ મહામારીની ત્રીજા લહેર સાથે જોડાયેલ નથી.
Loading ...