આંધ્રપ્રદેશ-

આંધ્રપ્રદેશના વિજયવાડા શહેરમાં કોવિડ સેન્ટરમાં ભારે આગ ફાટી નીકળી છે. આ ઘટનામાં સાત લોકોનાં મોત નીપજ્યાં છે અને 30 લોકોને કેન્દ્રમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. હાલ ફાયર વિભાગ સ્થળ પર આગ કાબૂમાં લેવામાં વ્યસ્ત છે. તેમજ બચાવ કામગીરી પણ ચાલી રહી છે. તે જ સમયે, રાજ્યના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ અધિકારીઓને અકસ્માતની તપાસ કરવા આદેશ આપ્યો છે. 

 શહેરમાં કોરોના વાયરસના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને વિજયવાડામાં સ્વર્ણ પેલેસ હોટલને કોવિડ -19 સેન્ટરમાં ફેરવવામાં આવી હતી. આ હોટલમાં 22 દર્દીઓની સારવાર ચાલી રહી હતી. તે જ સમયે, કર્મચારીઓ સહિત 50 જેટલા લોકો અહીં રહેતા હતા.