ભરૂચ, ભરૂચના દહેગામ ગામે તળાવની પાળ તૂટતા તળાવના પાણી નજીકના ખેતરોમાં ફરી વળતા ૪૦ એકર જમીનમાં ઉભા પાકને નુકશાન પહોંચ્યું છે. વડોદરા મુંબઇ એક્સપ્રેસ વેની કામગીરીમાં પાણીના સંગ્રહ માટે આ તળાવ બનાવવામાં આવ્યું હતું. તળાવની પાળ તૂટતા પાણી ખેતરીમાં ફરી વળતા ખેડૂતો ઉભા પાકની નુકશાની માટે જવાબદાર કોન્ટ્રાક્ટર કંપની પાસે વળતરની માંગ કરી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ બુલેટ ટ્રેન અને વડોદરા મુંબઇ એક્સપ્રેસ વેની કામગીરી હાલ પુર ગતિએ ચાલી રહી છે.ભરૂચ તાલુકાના દહેગામ નજીક પણ આ બંન્ને પ્રોજેકટની કામગીરી ચાલી રહી છે. કામગીરીમાં પાણીની જરૂરિયાતને પહોચી વળવા વરસાદી પાણીનો સંગ્રહ થાય એ માટે તળાવ બનાવવામાં આવ્યું હતું જાે કે હાલમાં કોન્ટ્રાકટર કંપનીને વધુ માટીની જરૂરિયાત હોય તળાવમાંથી પાણી બાજુના તળાવમાં ખાલી કરવામાં આવી રહ્યું હતું આ દરમ્યાન પાણીના પ્રેશરથી તળાવની એક તરફની પાળ તૂટી ગઈ હતી અને તળાવનું પાણી નજીકમાં આવેલ ખેતરોમાં ફરી વળ્યું હતું.

તળાવનું પાણી ખેતરોમાં ફરી વળતા આસપાસની ૪૦ એકર જમીનમાં ઉભા પાકને નુકશાન પહોંચ્યું છે. ખેડૂતોએ ખેતરમાં વાવેલ ઘઉં, તુવેર મઠીયા અને જુવારના પાકને ભારે નુકશાન પહોંચ્યું છે. આ અંગેની જાણ થતાની સાથે જ ખેડૂતો દોડી આવ્યા હતા અને વિરોધ નોંધવાયો હતો.ખેડૂતોના આક્ષેપ અનુસાર તેઓ દ્વારા કોન્ટ્રાકટર કંપનીના અધિકારીઓને જાણ કરવામાં આવી છે જાે કે કંપની ઘ્વારા વળતરની માંગ ન સંતોષાય તો ક્લેકટર કચેરીએ ઘરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. અચાનક પાળ તુટી પડતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. આ પાળ સત્વરે મરામત થયા તેવી ખેડૂતોએ માંગ કરી હતી.