દિલ્હી-
દક્ષિણ દિલ્હીના માલવીયા નગરમાં લોકપ્રિય રેસ્ટોરન્ટ 'બાબા કા બા'ના માલિક કાંતા પ્રસાદે ઈન્સ્ટાગ્રામ ઇનફ્યુઅન્સર ગૌરવ વાસન સામે દાનના નાણાંના ગેરઉપયોગ માટે ફરિયાદ નોંધાવી છે. બાબા કા ધાબાના માલિક કાંતા પ્રસાદે જણાવ્યુ હતુ કે, ગૌરવે દાનની રકમ તેના અને તેની પત્નીના નામે મળી છે. ગૌરવે સૌ પ્રથમ 'બાબા કા ધાબા'નો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
કાંતા પ્રસાદે આક્ષેપ કર્યો છે કે ગૌરવે તેને અને તેની પત્નીને મદદ કરવાના નામે પૈસાની હેરાફેરી કરી છે. ઢાબાના બાબાએ આરોપ લગાવ્યો કે ગૌરવએ દાનના પૈસા પોતાની પત્ની અને ભાઈના નામે માંગ્યા હતા. મને ફક્ત 2,33,677 રૂપિયાનો ચેક અપાયો હતો. અમે બેંકમાં એક ચેક મૂકી દીધો છે. કાન્તા પ્રસાદે પોતાના હવાલામાં કહ્યું કે ગૌરવે કોઈને કહ્યું હતું કે અમારા ખાતામાં 20 લાખ રૂપિયા છે, આ વસ્તુ ત્યાંથી લીક થઈ ગઈ છે. મારા ખાતામાં કેટલી રકમ છે તે ગૌરવને કેવી રીતે ખબર પડી? બધા પૈસા તેના જ ખાતામાં આવી ગયા છે. તેઓએ અમને કહ્યું કે માત્ર 2 લાખ રૂપિયા આવ્યા છે. મારા નામે આવતી સહાય તેઓએ રાખી. ગૌરવે કહ્યું હતું કે બાબાએ પોતાનો એકાઉન્ટ નંબર કોઈને ન આપવો જોઈએ.
બ્લોગર ગૌરવ વસાને તેમના પર લાગેલા તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને આક્ષેપોનો જવાબ ક્રમિક રીતે આપ્યો હતો.ગૌરવે કહ્યું હતું કે '8 ઓક્ટોબરના રોજ બાબાના બેંક ખાતામાં જમા કરાવવામાં આવેલી 75 હજારની રોકડ જમા થઈ હતી. બેંકે તે જ દિવસે અમને કહ્યું હતું કે બાબાના ખાતામાં 20-25 લાખ રૂપિયા આવ્યા છે, તેથી બેંક ખાતું સીલ કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું, 'બાબાના નામે મારા ખાતામાં 3 લાખથી વધુ પૈસા આવ્યા છે. તમામ પૈસા બાબાને ચેક, એનઈએફટી દ્વારા આપવામાં આવ્યા હતા.
તે જ સમયે, ગૌરવ વસાને તેની યુટ્યુબ ચેનલ પર દાવો કર્યો છે કે તેણે કોઈ બેઇમાની કરી નથી, અને તેનો મુદ્દો સાબિત કરવા માટે, તે જલ્દી એક વિડિઓના રૂપમાં બેંકનું એક ચકાસણી નિવેદન અપલોડ કરશે.
Loading ...