ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન કોરોના (કોવિડ-19) મહામારીની સર્જાયેલી સ્થિતીને ધ્યાને લઇ આગામી તા.૧૬ નવેમ્બર-ર૦ર૦ના નૂતનવર્ષ દિન નિમિત્તે પ્રજાજનો-નાગરિકો સાથે શુભેચ્છા આદાન-પ્રદાનનો યોજાનારો નૂતન વર્ષાભિનંદન મિલન સમારંભ આ વર્ષે મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર, મુખ્યમંત્રી દ્વારા દર વર્ષે પ્રજાજનો સાથે નૂતનવર્ષ શુભેચ્છા આદાન-પ્રદાનનો નૂતનવર્ષ દિને યોજાતો પરંપરાગત નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન સમારોહ આ વર્ષે યોજાશે નહિ. સૌ નાગરિક-ભાઇ બહેનોને આ અંગેની નોંધ લેવા સામાન્ય વહિવટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે