વલસાડ, દાઉદી વોહરા સમાજના રાષ્ટ્રપ્રેમીઓ દ્વારા દરવર્ષે સમાજના ધર્મગુરુની જન્મ જ્યંતી ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે.પરંતુ હાલ દેશમાં ચાલી રહેલા કોરનાની મહામારી બીમારીના કારણે સમાજના ૫૨માં ધર્મગુરુ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબની ૧૧૦મી જન્મ જયંતિ અને ૫૩માં ધર્મગુરુ સૈયદના આલી કદર મુફદદલ સૈફઉદ્દીન ની ૭૭ મી જન્મ જયંતિ નિમિત્તે ખેરગામના દાઉદી વોહરા જમાત દ્વારા સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે આગેવાનો દ્વારા વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારીમાંથી લોકોને રક્ષણ મળે તે માટે દુઆ પ્રાર્થના કરવામાં આવી હતી.તેમજ સૈયદના સાહેબના આદેશ મુજબ રાષ્ટ્રની મહોબ્બત એ ઇમાનનો એક ભાગ છે,અને હંમેશા આપણા દિલોમાં રાષ્ટ્ર ભાવના ઉજાગર રહે અને દેશના વિકાસમાં સહયોગ આપવાની ભાવના કેળવવા આહવાન કરાયું હતું.કાર્યક્રમનું સંચાલન સમાજના મુલ્લા મુર્તુઝા પાટણવાળા અને ખોજેમ ઇસ્માઇલ વોહરા દ્વારા કરવામાં આવ્યું હતું.