આણંદ, તા.૧૩ 

રાજયમા પ્રવર્તી રહેલ કોરોના વાઇરસ કોવિડ-૧૯ની અસરોને પહોંચી વળવા તેમજ તેને અટકાવવા અને નિયંત્રણની કામગીરી ત્વરિત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમિક ડીસીઝ એકટ -૧૮૯૭ અન્વયે રાજ્યમાં ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન- ૨૦૨૦ અમલમાં છે. કોરોનાની કામગીરી માટે જજૂમી રહેલી મહિલા કોરોના વોરિયર્સ માટે સરકારે મહત્વનો ર્નિણય કર્યો છે. તદઅનુસાર સગર્ભા તથા સ્તનપાન કરાવતી આરોગ્યકર્મી મહિલાઓને કોવિડ વોર્ડ સિવાયની કામગીરી સોંપાશે.

સરકાર દ્વારા વધુમાં જણાવાયાનુસાર કેન્દ્ર કોવિડ-૧૯ની કામગીરી સંદર્ભે તા.૧૮ જૂનની ગાઇડલાઇન મુજબ આરોગ્ય કર્મીઓને અનુસરવાની બાબતમાં સગર્ભા તથા સ્તનપાન કરાવતી આરોગ્ય કર્મીઓ તેઓની સ્વાસ્થય વિષયક જાણકારી હોસ્પિટલ ઓથોરિટીને કર્યા બાદ આવી સગર્ભા તથા સ્તનપાન કરાવતી ધાત્રી માતાઓને કોવિડની કામગીરી સિવાયની કામગીરી આપવા સૂચન કરાયુ છે. જેને ધ્યાને લેતાં સગર્ભાઓનાં સ્વાસ્થ્ય તથા ધાત્રી માતાઓ તથા તેઓના નવજાત શિશુની સ્વાસ્થ્ય સંબંધીત કાળજી લેવા અંગે આગમચેતી રૂપ પગલાં લેવા સરકારે આ મહત્વનો ર્નિણય કર્યો છે.

આ પરિપ્રેક્ષ્યમાં કોવિડ હોસ્પિટલોમાં કામગીરી બજાવતી અને સગર્ભા/ધાત્રી માતાઓને કોરોના સંક્રમિત દર્દીઓના સીધા સંપર્કમાં નહીં આવવું પડે. સગર્ભા માતા અને તેનાં ગર્ભસ્થ શીશુનું સ્વાસ્થ્ય જળવાય તેમજ ધાત્રી માતાઓ થકી નાના બાળકોમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. દરેક ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલે ડેડિકેટેડ કોવિડ હેલ્થ કેર સેન્ટર, કોવિડ કેર સેન્ટરના પ્રસાશને સગર્ભા માતાઓ/ સ્તનપાન કરાવતી ધાત્રી માતાઓને કોવિડ- વોર્ડ સિવાયની કામગીરી સોંપવાની વ્યવસ્થા કરવાની રહેશે, એમ વધુમાં જણાવાયુ છે.