દિલ્હી-

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી કોંગ્રેસ સાસદ રાહુલ ગાંધી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ અંગે તેમણે એક ટ્વિટ કરીને જાણ કરી છે. આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી અગાઉ ગત રોજ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.ઉલ્લેખનીય છે કે, ગત રોજ સોમવારના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ પણ કોરોનાથી સંક્રમિત થતાં તેઓને એઈમ્સમાં દાખલ કરાયા હતાં. તેમની તબિયત બગડતાં તેમને એઈમ્સમાં દાખલ કરાયા છે. હાલમાં તેમની તબિયતને લઈને કંઈ વધુ નિવેદન આવ્યું નથી.