વાઘોડિયા

જરોદ પાસે આવેલ ગોવિંદપુરા નર્મદા માઈનોર કેનાલ પરથી પસાર થતા મોટરસાયકલ ચાલકને અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈક પર સવાર દંપતીનું કરૂણ મોત નિપજ્યુ હતુ. વાઘોડિયાના આજવા ગાર્ડનપાસે આવેલ દરજીપુરા( આજવા)ગામે રહેતા કાંતિભાઈ ચંદુભાઈ (૪૫) તથા તેમના પત્ની રમીલાબેન(૪૩) નાઓ સાવલી તાલુકાના મનીનગર ગામે રહેતી દીકરી અરુણાબેન દિનેશભાઈ નાયક ના ઘરે ખબર અંતર પૂછવા માટે સાંજના સુમારે મોટરસાયકલ ઘરેથી નીકળ્યા હતા. દંપતી ગોવિંદપુરા(જરોદ) નર્મદા માઇનોર કેનાલ પાસેથી પસાર થતા કોઈ અજાણ્યા વાહને તેવોની મોટર સાયકલ અડફેટે લેતા દંપતી રોડપર પટકાયા હતા. કાન્તીભાઈને માથામા તેમજ હાથમા ગંભીર ઈજાઓ પહોંચી હતી, તેમની પત્નીને પણ હાથે તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. દંપતીને જીવલેણ ઈજાઓ થતા લોહિથી લથપથ રોડપર પડ્યા હતા.અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.આવતાજતા રાહદારીઓમાંથી કોઈકે ૧૦૮ને ફોન કરી તેમના પુત્રને અકસ્માત અંગે જાણકારી આપી હતી.ઘટનાને પગલે તેમનો પુત્ર અકસ્માતના સ્થળે દોડી આવ્યો હતો.ઘાયલ દંપતીને ૧૦૮ મારફતે જરોદ રેફરલ હોસ્પીટલ ખસેડતા સારવાર મડે તે પહેલાજ હાજર તબીબે તેવોને મૃત જાહેર કર્યા હતા.તેમના પુત્રે અકસ્માતઅંગે વાઘોડિયા પોલીસનેજાણ કરતા વાઘોડિયા પોલીસે અજાણ્યા વાહન વિરુઘ્ઘ ગુન્હોનોંઘી તપાસ શરુ કરી છે.