અંક્લેશ્વર, તા.૧ 

અંક્લેશ્વર નોટીફાઈડ એરિયા દ્વારા ભરૂચ જિલ્લા પંચાયત નાં સહયોગ થી ક.મા મુન્શી હોલ ખાતે કોવિડ - ૧૯ સ્ક્રિનીંગ સેન્ટર શરૂઆત કરવામાં આવી હતી.અંકલેશ્વરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યુ છે, ત્યારે લોકોનાં સ્વાસ્થ્ય ની તકેદારી અને સુરક્ષા નાં ભાગરૂપે અંકલેશ્વર જીઆઇડીસી માનવ મંદિર પાસેનાં ક.મા મુન્શી હોલ ખાતે નોટીફાઈડ એરિયા દ્વારા ભરૂચ જિલ્લા પંચાયત નાં સહયોગ થી કોવિડ - ૧૯ સ્ક્રિનીંગ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.

જાહેરજનતા પોતાનું હેલ્થ ચેકઅપ બપોરનાં ૨ થી ૩ વાગ્યા સુધી કરાવી શકશે તેમ જાણવા મળ્યુ હતુ.તેમજ લોકોને હેલ્પ લાઈન નંબર ૧૦૪ ની મદદ લેવા માટે જણાવવા માં આવ્યુ છે.