વડોદરા, તા. ૨૮

વાડી વિસ્તારમાં આવેલી શ્રમજીવી નાગરીક સહકારી મંડળી ખાતે વર્ષ – ૨૦૨૧ની ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચુટણીનું પરીણામ આવતા વ્યવસ્થાપન મંડળમાં નાગેન્દ્ર પટેલની પનેલના સભ્યોે પૈકી ડાॅ.આઈ.આઈ. પંડયા સહિતના નવ ઉમેદવારો વિજયી બન્યા હતા.

એમ.એસ. યુનિવર્સિટીમાં ટેકનોલોજી વિભાગમાં પ્રોેફેસર , પૂર્વ સિન્ડીકેટ મેમ્બર, બુટાના પૂર્વ પ્રમુખ તેમજ જાણીતા સ્ટ્રકચરલ ડીઝાઈનર ડાॅ.આઈ.આઈ.પંડયા સહિતનાઓએ વાડી વિસ્તારમાં આવેલ શ્રમજીવી નાગરીક સહકારી મંડળીની વ્યવસ્થાપન મંડળીની ચુંટણીમાં નાગેન્દ્ર પટેલની પેનલમાં ઉમેદવારી પદ નોંધાવ્યું હતું. ગઈકાલે યોજાયેલી મંડળીની ચુંટણીમાં પેનલના તમામ નવ સભ્યો જંગી મતોથી વિજયી બન્યા હતા.