અમદાવાદ-
સી-પ્લેનને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદથી કેવડિયા સી-પ્લેન સુવિધા ૨૮ ડિસેમ્બરે ફરીથી શરૂ થાય તેવી શક્યતાઓ જાેવામાં આવી રહી છે. પરંતુ લોકમુખે ચર્ચાનો વિષય બનેલું જૂનું સી પ્લેનને લઈને એક ખુશખબર પણ મળી રહ્યા છે. આ વખતે માલદીવથી જૂનું સી પ્લેન નહિ પણ બીજું સી-પ્લેન આવશે અને તે ૨૭ ડિસેમ્બરે આવી શકે તેવી શકયતાઓ જાેવામાં આવી રહી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે સરદાર પટેલની જન્મ જયંતિ ૩૧મી ઓક્ટોબર ૨૦૨૦ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ પેસેન્જર “સી-પ્લેન’ સેવાની શરૂઆત કરાવી હતી. પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાથી ઉડાન ભરીને તેઓ ૪૫ મિનિટમાં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. ૫૦ વર્ષ જૂનું રજિસ્ટ્રેશન નંબર ૮ઊ-ૈંજીઝ્ર ધરાવતું આ સી- પ્લેન હતું, જેના કારણે રાજ્યભરમાં તેની ચર્ચાઓ અને ટીકાઓ થઈ હતી.
પરંતુ પીએમ મોદીએ સી પ્લેનની શરૂઆત કરાવ્યા બાદ એક મહિનો આ સુવિધા ચાલી અને પછી તેને મેઇન્ટેનસન્સ માટે સી-પ્લેનને મેન્ટેનન્સ માટે માલદીવ મોકલવામાં આવ્યું હતું. અસ્થાયી ધોરણે સી-પ્લેન સેવા બંધ કરવામાં આવી હતી. હવે ફરીથી સી-પ્લેનને લઈને એક સમાચાર મળી રહ્યા છે. એક મહિનાથી બંધ કરાયેલ સી-પ્લેનની સેવા ૨૮ ડિસેમ્બરે ફરીથી શરૂ થાય તેવી શક્યતાઓ જાેવામાં આવી રહી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments