ગીર સામનાથ-
સૌરાષ્ટ્રના પ્રવાસે બે દિવસથી મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ધર્મપત્ની અંજલીબેને આજે વહેલી સવારે જયોર્તિલીંગ સોમનાથ શિવાલયે શિવ વંદના કરી પૂજન-અર્ચન કર્યા હતા. મુખ્યમંત્રીએ ગુજરાતની પ્રજાના આરોગ્યની પ્રાર્થના કરી કોરોનાને દેશવટો આપવા ભાવવંદના કરી હતી. સાથો સાથ રાજયના સર્વાંગી વિકાસની પણ અભ્યર્થના કરી હતી. મુખ્યમંત્રીના શિવ વંદના અવસરે ટ્રસ્ટના જનરલ મેનેજર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રસ્ટ વતી સન્માન કરી મોમેન્ટો અર્પણ કરી હતી. પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના શ્રદ્ધાપૂર્વક દર્શન, પૂજન કરી સૌ માટે મંગલ કામના કરી હતી. સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી ગુજરાતની ઉન્નતી અને સર્વાંગી પ્રગતિની પ્રાર્થના કરી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments