ગાઈ-વગાડીને શહેરના વિવિધ સર્કલ પર એક સમયે ભંગારમાંથી બનેલા વિવિધ સ્ક્લ્પચર મૂકવામાં આવ્યાં હતાં. આ બાબતે તાજેતરમાં રાજમાતા શુભાંગિની દેવીએ એક કાર્યક્રમમાં ટકોર કરતાં આખરે સત્તાધીશોએ આ સ્ક્લ્પચર હટાવવાનો નિર્ણય લીધો હતો. મંગળવાર સુધી ઓ.પી. રોડ પર રોકિંગ મુદ્રામાં સ્થપાયેલા આ રોકસ્ટારની હવે જૂઓ કેવી હાલત થઈ છે. સત્તાધીશોના નિર્ણયની માફક ઊંધેમાથે પડ્યું છે.