દિલ્હી-

દિલ્હીમાં વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, ગયા વર્ષની જેમ, તમામ પ્રકારના ફટાકડાના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. CM અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું કે છેલ્લા 3 વર્ષની જેમ દિવાળી દરમિયાન દિલ્હીના પ્રદૂષણની ખતરનાક સ્થિતિને જોતા ગયા વર્ષની જેમ તમામ પ્રકારના ફટાકડાઓના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે. જેથી લોકોના જીવ બચાવી શકાય.ૉ

CM કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષે વેપારીઓ દ્વારા ફટાકડા સંગ્રહ કર્યા બાદ પ્રદૂષણની ગંભીરતાને જોતા, સંપૂર્ણ પ્રતિબંધ મોડો લાદવામાં આવ્યો હતો, જેના કારણે વેપારીઓને નુકસાન થયું હતું. તમામ વેપારીઓને અપીલ છે કે આ વખતે સંપૂર્ણ પ્રતિબંધને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારનો સંગ્રહ ન કરો.