દિલ્હી-
દેશના વિદેશી હુંડિયામણ ભંડારમાં આશરે 47 કરોડ ડૉલર્સનો ઘટાડો થયો હોવાનું રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ જણાવ્યું હતું. 27 નવેંબરે જાહેર થયેલા સાપ્તાહિક રિપોર્ટમાં રિઝર્વ બેંકે આ માહિતી આપી હતી. એની પહેલાંના સપ્તાહે એટલે કે 20 નવેંબરે જાહેર થયેલા રિપોર્ટ મુજબ વિદેશી હુંડિયામણ ભંડારમાં બે અબજ ડૉલર્સનો વધારો થયો હતો અને કુલ ભંડાર 575.29 અબજ ડૉલર્સનો થયો હતો.
રિઝર્વ બેંકના આંકડા મુજબ એફસીએ 35.2 કરોડ ડૉલર્સ વધીને 533.455 અબજ ડૉલર્સ થઇ હતી. આમ તો એફસીએમાં યુરો પાઉન્ડ યેન વગેરેનો સમાવેશ થતો હોય છે પરંતુ એ ડૉલર્સમાં જ જાહેર થતી રહી છે. પૂરતું વિદેશી હુંડિયામણ દેશના અર્થતંત્ર માટે ખૂબ મહત્ત્વનું હોય છે. ક્યારેક મોટું વિદેશી દેવું ચૂકવવામાં એ ઉપયોગી થઇ પડે છે. વીતેલા સપ્તાહ દરમિયાન દેશનો સોનાના ભંડારની કિંમત 82.2 કરોડ ડૉલર્સ ઘટીને 35.192 અબજ ડૉલર્સનું થયું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments