દિલ્હી-

અસમના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈનું 86 વર્ષની વયે અવસાન થયું છે. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે સોમવારે સાંજે ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.જણાવી દઈએ કે તેમની હાલત પહેલેથી જ નાજુક હતી.આ જ કારણોસર રાજ્યના સીએમ પોતાના ડિબ્રૂગઢના પ્રવાસને અધવચ્ચેથી છોડીને ગુવાહાટી પરત આવ્યા હતા.

રાજ્યના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ તેમનો કાર્યક્રમ રદ કરીને ડિબ્રૂગઢથી ગુવાહાટી પરત ફરી રહ્યા છે. તેમણે આ અંગે ટ્વિટ કર્યું હતું. કે તરુણ ગોગોઇ મારા પિતા જેવા છે. હું તમામ કાર્યક્રમો રદ કરી રહ્યો છું અને ડિબ્રુગઢથી ગુવાહાટી જઈ રહ્યો છું જેથી હું તરુણ ગોગોઇ અને તેમના પરિવાર સાથે રહી શકું કારણ કે પૂર્વ મુખ્યમંત્રીની તબિયત બગડી હતી. તરુણ ગોગોઇ 2001 થી 2016 સુધી આસામના મુખ્યમંત્રી પદ પર રહ્યા હતા.