જમ્મૂ કશ્મીર-

અનંતનાગમાં આજે સોમવારે બપોરના સમયે ભાજપમાંથી ચૂંટાઈને આવેલા સરપંચ રસૂલ ડાર અને તેમના પત્ની જવીરાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તબક્કે સંદિગ્ધ આતંકીઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. દંપત્તી રેડવાની કુલગામમાં રહેતા હતા અને થોડા સમયથી અનંતનાગમાં ભાડાનું મકાન રાખીને રહેતા હતા. જમ્મૂ કશ્મીરના ભાજપ નેતા અલ્તાફ ઠાકુરના જણાવ્યા પ્રમાણે, ગુલામ રસૂલ ડાર કુલગામ ભાજપ કિસાન મોર્ચાના અધ્યક્ષ હતા. તે અને તેમના પત્ની અનંતનાગમાં આતંકી હુમલામાં માર્યા ગયા હતા. જમ્મૂ કશ્મીરના અનંતનાગમાં ભાજપમાંથી ચૂંટાઈને આવેલા સરપંચ રસૂલ ડાર અને તેમની પત્ની જવીરાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે.