શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ પાણીની ટાકી પાસે લાંબા સમયથી પાલિકાના ઇજારદાર દ્વારા કામગીરીને માટે ખાડો ખોદીને મૂકી દેવામાં આવ્યો છે. આ અધૂરી કામગીરીને લઈને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો હેરાનપરેશાન થઇ ગયા છે. જેને લઈને આ વિસ્તારના નાગરિકો દ્રારા પાલિકાના ઇજારદાર દ્વારા તાકીદે અધૂરી મુકેલી કામગીરી પૂર્ણ કરીને ખાડો પુરી દઈ વાહન ચાલકો અને નાગરિકોને આવનજાવનને માટે સરળતા રહે એવી માગ કરવામાં આવી છે.