વડોદરા

યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા અને પરમાધ્યક્ષ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજે 26 જુલાઇએ રાત્રે 11 કલાકે આ પૃથ્વીની તેમની યાત્રા સંકેલી લઇને અક્ષરધામગમન કર્યુ છે. આ સમાચાર પ્રસરતાં સમગ્ર સત્સંગ સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી છે..ગત ફેબ્રુઆરી માસથી પ.પૂ સ્વામીજીને કિડનીને બીમારી હતી જે તેઓની વિદાયનું નિમિત બની હતી.


હરિધામ સોખડાથી કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપદાસજીએ જણાવ્યુ છે કે પ.પૂ.સ્વામીજીનાં દિવ્ય વિગ્રહન અંતિક્રિયા હરિધામ સોખડા ખાતે 1 ઓગસ્ટ રવિવારે બપોરે 2.30 કલાકે કરવામાં આવશે. તેઓની દિવ્ય વિગ્રહના અંતિમદર્શન ભક્તો પાંચ દિવસ દરમિયાન કરી શકે તેવી વ્યવસ્થા સાંપ્રત પરિસ્થિતિને અનુરૂપ ગોઠવવામાં આવી છે.પ.પૂ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દિવ્ય વિગ્રહને વિશેષ કક્ષમાં રાખવામાં આવેલ છે.