દિલ્હી-
દેશમાં કોરોના વેકસીનેશનનો પ્રારંભ થયો છે અને એક તરફ 18 થી 44 વર્ષના લોકોને રજીસ્ટ્રેશન સાથે અને 4પ થી ઉપરના તમામને વોક ઇન વેકસીનેશનની સુવીધા આપવામાં આવે છે ત્યારે હવે લોકોને ઘરે ઘરે જઇને વેકસીન આપવાના સુચનનુ કેન્દ્ર સરકારે સ્વીકારવા ઇન્કાર કર્યો છે અને જણાવ્યુ છે કે હોમ ટુ હોમ વેકસીનેશન એ તર્ક સંગત વાત નથી. સુપ્રીમ કોર્ટમાં આ પ્રકારની એક જાહેર હીતની અરજી થઇ હતી.
જેમાં સરકારે પોતાના સોગંદનામાથી ઘરે ઘરે વેકસીન આપવાના કાર્યક્રમનો ઇન્કાર કર્યો છે અને જણાવ્યુ છે કે દેશના દરેક લોકોને વેકસીન મળી રહે તે માટે સરકાર ભવિષ્યમાં ટ્રાન્સપોર્ટ મથક અને રેલ્વે સ્ટેશન સહીતના વિસ્તારોમાં વેકસીનેશનની યોજના કરી છે. લોકોને ઓછામાં ઓછા અંતરે જઇને વેકસીન લેવાની સુવીધા રહે તે સુનિશ્ર્ચિત કરાઇ રહયુ છે. હાલ જે રજીસ્ટ્રેશન સાથેનો વેકસીનેશન પ્રોગ્રામ છે. તે પીન કોડ આધારીત છે અને વેકસીનેશન બાદ 30 મે સુધી જે તે વ્યકિતને તબીબી નજર હેઠળ રાખવો એ પ્રોટોકોલ છે. દરેક ઘરમાં આ શકય નથી. તેથી વેકસીનેશન માટે જે તે વ્યકિત નજીકમાં કેન્દ્રોમાં આવે તે જરુરી છે. ઉપરાંત વેકસીન એ નિશ્ર્ચિત તાપમાનમાં રાખવાની હોય છે. અને વેકસીન કેરીયરમાં તે સુવીધા જળવાય નહીં તેવી શકયતા છે અને તેના કારણે વેકસીનની ખોટી અસર પણ થઇ શકે છે. આથી હાલ ઘરે ઘરે જઇને વેકસીન આપવાનો કાર્યક્રમ વીચારણાને પાત્ર નથી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments