વેલિંગ્ટન,તા.૭

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સાથે રમવા મળવા બદલ પોતાને ભાગ્યશાળી માને છે. તેણે કહયુ હું અને કોહલી ક્રિકેટ યાત્રાના યુવા દિવસોથી એકબીજા સાથે સંકળાયેલા છીએ. વિલિયમસન અને કોહલી બંને મલેશિયામાં ૨૦૦૮માં રમાયેલા આઈસીસી અંડર-૧૯ વર્લ્ડકપનો હિસ્સો હતા, જેમાં ભારત વિજેતા બન્યું હતું. હાલ બંને ક્રિકેટ જગતના દિગ્ગજ બેટ્‌સમેન માનવામાં આવે છે. 

વિલિયમસને સ્ટાર સ્પોટ્‌ર્સના કાર્યક્રમ ક્રિકેટ કનેકટેડમાં કહયુ, અમને એકબીજા સામે રમવાનું મળ્યું તેથી ભાગ્યશાળી છીએ. યુવાવસ્થામાં તેને મળવું ને બાદમાં તેની પ્રગતિ તથા ક્રિકેટ યાત્રાની સફળ કરિયર રહી છે. કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે ૨૦૦૮માં વિલિયમસનના નેતૃત્વવાળી ન્યૂઝીલેન્ડને અંડર-૧૯ સેમી ફાઇનલમાં હાર આપી હતી. 

તે વર્લ્ડકપમાં રવિન્દ્ર જાડેજા, ટ્રેન્ટ બોલ્ટ અને ટીમ સાઉથીએ પણ હિસ્સો લીધો હતો. વિલિયમસને કહયુ, અમે લાંબા સમયથી એકબીજા સાથે રમી રહ્યા છીએ તે ર