બેંગલુરુ-

કર્ણાટકમાં પણ સમગ્ર રાજ્ય માં કોરોના ફાટી નીકળ્યો છે. બુધવારે રાજ્યમાં કોરોનાના 6,976. નવા કેસ નોંધાયા હતા જ્યારે કોરોનાથી 35 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ગુરુવારે, શહેરના ચંદ્ર લેઆઉટ પોલીસ સ્ટેશનના 60 કર્મચારીઓના વિભાગમાં કોરોના હોવાનું પુષ્ટિ થયા બાદ હાહાકાર મચી ગયો હતો.

રાજ્યના આરોગ્ય વિભાગે બુધવારે રાત્રે પોતાના બુલેટિનમાં જણાવ્યું છે કે, રાજ્યમાં કોરોનાના 6,976. નવા કેસની સાથે સાથે અત્યાર સુધીમાં કુલ 10,33,560 કેસ નોંધાયા છે. બુલેટિન મુજબ આ સમયગાળા દરમિયાન કોરોનાથી વધુ 35 લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 9,71,556 લોકો સાજા થયા છે જ્યારે કોરોનાથી થયેલા મુર્ત્યું નો કુલ આંક 12,731 પર પહોંચી ગયો છે. રાજ્યમાં હાલમાં 49,254 કેસ સક્રિય છે. ગુરુવારે બેંગલુરુ ના ચંદ્ર લેઆઉટ પોલીસ સ્ટેશનના 60 કર્મચારીઓનો કોરોના અહેવાલ સકારાત્મક બહાર આવ્યો છે. આ બધાને એકાંતવાસ માં રાખવામાં આવ્યા છે.