દિલ્હી-

દેશમાં પાછલા દિવસની તુલનામાં કોરોના ના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાના એક લાખ 636 નવા કેસ નોંધાયા છે. જ્યારે 2427 લોકો આ રોગને કારણે મૃત્યુ પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ, 74 હજાર, 399 દર્દીઓ સ્વસ્થ બન્યા છે. છેલ્લા 24 દિવસથી સતત સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા, નવા દર્દીઓ કરતાં વધુ છે. રાહતની વાત છે કે, દેશમાં નવા કેસોનો દર એટલે કે, પોઝિટિવિટી રેટ નીચે આવી ગયો છે. પોઝિટિવિટી રેટ છેલ્લા 14 દિવસથી સતત 10 ટકાથી નીચે છે. છેલ્લા 24 કલાકમાં પોઝિટિવિટી દર 6.34 ટકા રહ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે, સોમવારે સવારે બહાર પાડેલા આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કોરોના કુલ 2,89,09,975 કેસ નોંધાયા છે. તે જ સમયે, આ રોગને કારણે અત્યાર સુધીમાં 3,49,186 લોકોના મોત નીપજ્યા છે. જેમાંસક્રિય દર્દીઓની સંખ્યા, 14,01,609 છે. તે જ સમયે, ત્યાં રાહતના સમાચાર છે કે, કોરોનાથી અત્યાર સુધી 2,71,59,180 દર્દીઓ સ્વસ્થ બન્યા છે.

કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે, જે રાહતની વાત છે. પુન:સ્વસ્થ થવાનો દર સુધરી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં, દેશનો પુન:સ્વસ્થ થવાનો દર વધીને 93.94 ટકા થયો છે. આઈસીએમઆર અનુસાર, છેલ્લા 24 કલાકમાં 15 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે. 06 જૂન, 15,87,589 પરીક્ષણો કરી લેવામાં આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 36,63,34,111 પરીક્ષણો કરવામાં આવ્યા છે.